Niradhar Vrudhdh Yojana નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (રાજ્ય સરકારની યોજના) 2023
Niradhar Vrudhdh Yojana : નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (રાજ્ય સરકારની યોજના) મુખ્ય ઉદેશ્ય વૃદ્ધ અને અપંગ લોકોને આર્થિક સધ્ધર બને તેનો છે. આ યોજનામાં કોઈ પણ વ્યક્તિની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. આ યોજનામાં BPL લાભાર્થી હોવો જરૂરી નથી.
Niradhar Vrudhdh Yojanaનો કોને લાભ મળી શકે?
- ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં નિરાધાર વૃધ્ધ.
- ૨૧ કે તેથી વધુ વર્ષનો પુત્ર ન હોય.
- અશક્ત- દિવ્યાંગ વ્યક્તિનાં કિસ્સામાં ૭૫ ટકા થી વધારે દિવ્યાંગતા હોય અને ૪૫ કે તેથી વધુ ઉંમરની વયમર્યાદા હોવી જોઈએ.
- પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા વૃધ્ધો પણ અરજી કરી શકશે.
- અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર રૂ. ૧,૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ
- ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ હોય.
- ૬૦ થી વધુ વય ધરાવનાર દંપતી / બન્નેને મળે
અરજી આપવાનું સ્થળ :
- સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય. https://www.digitalgujarat.gov.in/
Niradhar Vrudhdh Yojana અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો
- ઉંમરનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.
- આવકનો દાખલો.
- દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
- ૨૧ વર્ષ થી મોટી ઉમરનો પુત્ર ન હોવાનું પ્રમાણપત્ર.
- આધાર કાર્ડ
- બેન્ક/પોસ્ટ ઓફીસ એકાઉન્ટ
- રેશનકાર્ડ..
યોજના હેઠળ મળવાપાત્ર લાભ
- ૬૦ થી ૭૯ વર્ષ સુધીના લાભાર્થીને રૂ. ૧૦૦૦/- અને ૮૦ વર્ષ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. ૧૨૫૦/- ની માસિક સહાય ચૂકવવામાં આવે છે.
સહાયની ચુકવણી
- ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે.
અરજી પત્રક ક્યાંથી મળશે.
- જિલ્લા કલેકટર કચેરી.
- મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
- ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે.
- નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે. https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
- મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે.
યોજનાનું અમલીકરણ
- સબંધીત મામલતદાર કચેરી.
અરજી ના-મંજુર થતા અપીલ અરજી અંગે
- નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.
સહાય ક્યારે બંધ થાય ?
- લાભાર્થીઓનું અવસાન થવાથી
Niradhar Vrudhdh Yojana (State Government Scheme) |
(a) Niradhar Vrudhdh Yojana Who can benefit? |
|
(b) Place of submission of application |
|
(c) Documents to be attached with the application form |
|
(d) Niradhar Vrudhdh Yojana Benefits payable under the Scheme |
|
(e) Payment of Assistance |
|
(f) Where to get the application form. |
|
(g) Implementation of the Plan |
|
(h) Regarding application for appeal against disallowance of application |
|
(i) Niradhar Vrudhdh Yojana When does the assistance cease? |
|